‘સમુદ્રાન્તિકે’ નવલકથા પર્યાવરણીય પરિપ્રેક્ષ્યમાં
DOI:
https://doi.org/10.47413/vidya.v2i2.250Abstract
‘સમુદ્રાન્તિકે’ ધ્રુવ ભટ્ટ દ્વારા લખાયેલી નવલકથા છે. ધ્રુવ ભટ્ટની પ્રથમ નવલકથા ‘અગ્નિકન્યા’ હતી. ત્યાર પછી તેમણે ‘સમુદ્રાન્તિકે’, ‘તત્ત્વમસિ’, ‘કર્ણલોક’, ‘અકૂપાર’, ‘લવલી પાનહાઉસ’ અને ‘અતરાપી’ નવલકથાઓ આપી છે. ધ્રુવ ભટ્ટની ઘણી નવલકથાઓની વિશેષતા તેમના પ્રાકૃતિક પરિવેશમાં રહેલી છે. ‘સમુદ્રાન્તિકે’ નવલકથામાં ભાવનગર પાસેના સમુદ્ર કિનારાનો પરિવેશ છે, ‘તત્ત્વમસિ’માં નર્મદા અને તેના કાંઠા પરના જંગલોનો પરિવેશ છે તો ‘અકૂપાર’માં ગીરના જંગલોનો પરિવેશ છે. આમ પ્રકૃતિ – પર્યાવરણ એ લેખકની રુચિનો વિષય છે તે જણાઈ આવે છે.
Downloads
Published
Issue
Section
License
Copyright (c) 2023 VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY
This work is licensed under a Creative Commons Attribution-NonCommercial-ShareAlike 4.0 International License.