પંચમહાલ જિલ્લાના આદિવાસીઓનો સ્થાનીય રોજગાર અને ખેતી તથા પશુપાલન વલણો

Authors

  • કિશોર ગોહિલ
  • ડૉ. હરીગોપાલ અગ્રવાલ

DOI:

https://doi.org/10.47413/vidya.v2i1.146

Keywords:

પંચમહાલ, કૃષિ, પશુઓ, ઉત્પાદન, રોજગાર

Abstract

પંચમહાલ જીલ્લો મધ્ય ગુજરાત પ્રદેશનો મહત્વનો જિલ્લો છે. પંચમહાલ મુખ્યત્વે ડાંગર, મકાઈ જેવા મુખ્ય પાકો ધરાવતો કૃષિ જિલ્લો છે. અન્ય પાકો જેમકે ઘઉં, કઠોળ, મગફળી, તમાકુ, વગેરેની ખેતી થાય છે. જિલ્લામાં પ્રવર્તતી કૃષિ-આબોહવા પરિસ્થિતિ ફળ અને શાકભાજી જેમ કે કેરી, સપોટા, જામફળ, પપૈયા, ડુંગળી, બટાકા વગેરેની ખેતી માટે યોગ્ય છે. પંચમહાલ વિવિધ પ્રકારના શાકભાજીનું ઉત્પાદન કરે છે. પંચમહાલ જિલ્લામાં અર્ધ શુષ્ક આબોહવા છે. જિલ્લામાં સરેરાશ વરસાદ 770mm થી 880 mm સુધી બદલાય છે. ચોમાસું અનિયમિત છે અને વરસાદની મોસમમાં પણ લાંબા સૂકા સ્પેલ્સ સામાન્ય છે. જેના કારણે ખેડૂતો બીજો પાક લેવા અને દૂધાળા પશુઓને પાળી શકતા નથી. પ્રસ્તૃત સંશોધન પત્રક પંચમહાલ જિલ્લાના આદિવાસીઓને પ્રાપ્ય સ્થાનીય રોજગાર અને ખેતી તથા પશુપાલન અંગે ના વિવિધ વલણો ની ચર્ચા કરવાનો પ્રયત્ન કરવા 2016 – 17ના આંકડાઓનો આધાર લેવામાં આવ્યો છે.

References

Downloads

Published

23-02-2023

Issue

Section

Articles

How to Cite

પંચમહાલ જિલ્લાના આદિવાસીઓનો સ્થાનીય રોજગાર અને ખેતી તથા પશુપાલન વલણો. (2023). VIDYA - A JOURNAL OF GUJARAT UNIVERSITY, 2(1), 97-110. https://doi.org/10.47413/vidya.v2i1.146

Similar Articles

1-10 of 42

You may also start an advanced similarity search for this article.